Posts

આયુર્વેદ શું છે?

Image
આયુર્વેદ શું છે? સામાન્ય રીતે કોઈ ભારતીય આયુર્વેદથી અજાણ નહીં હોય. આયુર્વેદ આદિકાળથી ચાલ્યું આવતું ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. આયુર્વેદના અત્યારે ઉપલબ્ધ ગ્રંથો પણ આસરે ૫૦૦૦ વર્ષ પૂર્વે લખાયા છે. આયુર્વેદ શબ્દ સંસ્કૃત ભાષાના બે શબ્દો आयुः અને वेद ના સંયોગથી સર્જાયો છે. आयुः એટલે જીવન वेद એટલે વિજ્ઞાન આયુર્વેદ એટલે જીવનનું વિજ્ઞાન જીવન કેવી રીતે જીવવું? એ કળાને ઉજાગર કરતું વિજ્ઞાન એટલે આયુર્વેદ. કેવી રીતે નીરોગી રહેવું, કેવી રીતે રોગોમાંથી મુક્તિ મેળવવી, કેવી રીતે મોક્ષ મેળવવું આ દરેક પ્રશ્નો નો ઉત્તર એટલે આયુર્વેદ. આયુર્વેદ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની પણ વાત કરે છે. ટૂંકમાં આયુર્વેદ એટલે શરીર, મન અને આત્માને સંતુલનમાં રાખીને જીવન જીવતાં શીખવું વિજ્ઞાન. ડૉ. વિશાલ કે. મોતા કન્સલ્ટિંગ આયુર્વેદ પંચકર્મ ફીઝિશિયન, નાડી ચિકિત્સક, પેઈન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ  Appointment: 90995 87627

सर्वे सन्तु निरामयाः। (આયુર્વેદ દિવસ વિશેષ)

Image
આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ! આમ તો દરેક ભારતીય આયુર્વેદને જાણે છે, રોજબરોજના જીવનમાં આયુર્વેદના સિદ્ધાંતોને જાણેઅજાણે અપનાવે છે! પણ શું તમે જાણો છો આ આયુર્વેદ ક્યાંથી આવ્યું? દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું. અને એ સમુદ્રમંથનના ફળ સ્વરૂપે અમૃત કળશ લઈને અવતર્યા ભગવાન ધન્વંતરિ અને સાથે લાવ્યા શાશ્વત અને પુણ્યકારી એવું આયુર્વેદ! આજે ધનતેરસ એટલે ધન્વંતરિ જયંતિ. આયુર્વેદ એ માત્ર ચિકિત્સા પદ્ધત્તિ નથી પણ જેના આધારે આખું જીવન જીવી શકાય એવું શાસ્ત્ર છે. આયુર્વેદ સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું અને રોગીને નિરોગી કેવી રીતે બનાવવું એ તો સમજાવે જ છે પણ સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ સુધી દોરી જાય છે. આયુર્વેદમાં દિનચર્યા, ઋતુચર્યા, વેગધારણ જેવા વિશેષ કોન્સેપ્ટ છે જેને હવે આધુનિક વિશ્વ ધીરે ધીરે સ્વીકારી રહ્યું છે. આયુર્વેદને લઈને લોકોમાં ઘણી માન્યતાઓ છે. જેમકે, આયુર્વેદની દવાઓ આડઅસર કરે નહિ. આયુર્વેદ તો જૂના રોગો માટે છે. આયુર્વેદથી રોગ જડમૂળથી નીકળી જ જાય. દાદીમાનાં નુસખા વગેરે જ આયુર્વેદ છે. અને આવું તો ઘણું બધું. પણ હકીકતમાં આયુર્વેદની દવાઓ પણ આડઅસર કરે છે. (જો જાતે જ, ...

આયુર્વેદ કે નુસખાઓ?

Image
બહુ બધા લોકોના મનમાં સવાલ હોય છે કે, " આયુર્વેદમાં જે પ્રયોગ અને નુસખા આપ્યા છે એ કરાય કે નહિ?" જવાબ આયુર્વેદની સંહિતાઓમાં કોઈ જ પ્રયોગ આપ્યા નથી. એ સનાતન સત્ય અને સાબિત થયેલા અને સાબિત કરેલા વૈજ્ઞાનિક ઉપાય છે જે શરીર, મન અને આત્માને સ્વસ્થ રાખે છે. હવે વાત કરીએ પ્રયોગ ની, - આયુર્વેદના નામ થી લખાયેલ પુસ્તકો (જે માત્ર ચીલાચાલુ નુસખાઓ કહે છે,આયુર્વેદ સાથે કોઈ લેવા દેવા નથી.) - યુટ્યુબ પર ની વિવિધ ચેનલ (જેમાં બોલનાર વ્યક્તિને તમને સાંભળવું ગમે એવી વાત કરવામાં જ રસ છે. એ પોતાની પ્રસિદ્ધિ માટે કંઈ પણ ભેળ કે ખીચડી ખવડાવી દે છે) - આયુર્વેદના સ્ટોર પરના વ્યક્તિની સલાહ (એમને પોતાની પ્રોડક્ટ વેચવામાં વધારે રસ હોય અને વધારે મર્જીન વાળી દવાઓ પધરાવવામાં પાવરધા હોઈ શકે) - હું બહુ આયુર્વેદ જાણું છું એવું માનનારા ઊટવૈદ્યની સલાહ (આવા લોકોના કારણે કમરના દુઃખાવા જેવી સામાન્ય બીમારી નાં કોમ્પલિકેશન (ઉપદ્રવ) સ્વરૂપે પેરાલિસિસ(લકવો) થયો હોય એવા દર્દી પણ જોયા છે) - પેલાને આવું કરવાથી સારું થયું તો મને પણ થશે (એક ટ્રાય કરવાની વાત) - વોટ્સ એપ કે અન્ય સોશીયલ મીડિયામાં કરેલા લખાણ (જેમાં લખનાર કોઈ પણ ...