આયુર્વેદ કે નુસખાઓ?

બહુ બધા લોકોના મનમાં સવાલ હોય છે કે, " આયુર્વેદમાં જે પ્રયોગ અને નુસખા આપ્યા છે એ કરાય કે નહિ?" જવાબ આયુર્વેદની સંહિતાઓમાં કોઈ જ પ્રયોગ આપ્યા નથી. એ સનાતન સત્ય અને સાબિત થયેલા અને સાબિત કરેલા વૈજ્ઞાનિક ઉપાય છે જે શરીર, મન અને આત્માને સ્વસ્થ રાખે છે. હવે વાત કરીએ પ્રયોગ ની, - આયુર્વેદના નામ થી લખાયેલ પુસ્તકો (જે માત્ર ચીલાચાલુ નુસખાઓ કહે છે,આયુર્વેદ સાથે કોઈ લેવા દેવા નથી.) - યુટ્યુબ પર ની વિવિધ ચેનલ (જેમાં બોલનાર વ્યક્તિને તમને સાંભળવું ગમે એવી વાત કરવામાં જ રસ છે. એ પોતાની પ્રસિદ્ધિ માટે કંઈ પણ ભેળ કે ખીચડી ખવડાવી દે છે) - આયુર્વેદના સ્ટોર પરના વ્યક્તિની સલાહ (એમને પોતાની પ્રોડક્ટ વેચવામાં વધારે રસ હોય અને વધારે મર્જીન વાળી દવાઓ પધરાવવામાં પાવરધા હોઈ શકે) - હું બહુ આયુર્વેદ જાણું છું એવું માનનારા ઊટવૈદ્યની સલાહ (આવા લોકોના કારણે કમરના દુઃખાવા જેવી સામાન્ય બીમારી નાં કોમ્પલિકેશન (ઉપદ્રવ) સ્વરૂપે પેરાલિસિસ(લકવો) થયો હોય એવા દર્દી પણ જોયા છે) - પેલાને આવું કરવાથી સારું થયું તો મને પણ થશે (એક ટ્રાય કરવાની વાત) - વોટ્સ એપ કે અન્ય સોશીયલ મીડિયામાં કરેલા લખાણ (જેમાં લખનાર કોઈ પણ ...